શ્રી ઘનશ્યામ ઠક્કર ઉચ્ચ કક્ષાના કવિ અને સંગીતકાર છે. તેમના કાવ્યસંગ્રહ 'ભૂરી શાહીના કૂવા કાંઠે (ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન ૧૯૮૭)'ની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી છે, અને જાંબૂડી ક્ષણના પ્રશ્નપાદરે (રન્નાદે પ્રકાશન ૧૯૯૩)'ની શ્રી લાભશંકર ઠાકરે. શ્રી પ્રિયકાન્ત મણિયારની પ્રેરણાથી ઘનશ્યામે ૧૯૬૯થી કાવ્યસર્જન શરૂ કર્યું. તેમનાં કાવ્યો કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત-સમર્પણ, પરબ, ક્રુતિ, મિલાપ, વિશ્વમાનવ અને વૈશાખી જેવાં સાહિત્યનાં શ્રેઠ સામયિકોમાં પ્રસિધ્ધ થયાં છે. તેમનાં સંગીતનાં આલબમ 'આસોપાલવની ડાળે' અને 'ઓ રાજ રે'નાં ગીતો ફિલ્મ-ગાયકો નીશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, દમયંતી બારદાઈ, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા,દેવયાની વગેરેએ ગાયાં છે. ગુજરાતી ઉપરાંત તેઓ હિન્દી અને અંગ્રેજીમાં કવિતા રચે છે. એમનું અંગ્રેજી સર્જન તેઓ Oasis Thacker ઓએસીસ થાકર નામે રજુ કરે છે. તાજેતરમાં તેમણે આંતર્રાષ્ટ્રિય વાદ્યસંગીતનું આલબમ DewDrops on The Oasis રચી પ્રસિધ્ધ કર્યું છે.
|
Ghanshyam Thakkar (OasisThacker)'s International Music Album release |
આસોપાલવની ડાળે copyright 1997 |
|
copyright:1993 |
કવિ અને સંગીતકાર
Shri Umashankar Joshi in Dallas
Shri Umashankar Joshi in Dallas
પ્રિય મિત્રો,
આપણે સૌ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે દાંડિયારાસની આ સીડી નવી આર્ટ ઇફેક્ટ સાથે આપ સૌ સમક્ષ રજુ કરતાં અત્યંત આનંદ અનુભવું છું. માત્ર સીડીના બાહ્ય દેખાવમાં જ ફેરફાર નથી. જેમ જેમ ટેક્નોલૉજી આગળ વધે, તેમ સાઉંડ ક્વોલીટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવરાત્રીના ટાણે આ આલબમની કિમત ઘટાડવામાં આવી છે. ૬ ડૉલર + પોસ્ટેજ. Paypal પર ક્રેડીટકાર્ડથી એક-બે દિવસમાં ઓર્ડર કરી શકાશે. http://ghanshyamthakkar.com/ પર આ માહિતી મળશે. વધુ માહિતી માટે info@oasisthacker.com પર ઇમેલ કરો
આસોપાલવની ડાળે ખરીદવા નીચે ક્લીક કરો Click below to buy the 'AasopalavNi Daale'